Yogi

Yogi Govt Decision: એક્શન મોડમાં આવી યોગી સરકાર, લાઉડસ્પીકરને લઈ જારી કરી ગાઈડલાઈન…

Yogi Govt Decision: પશ્ચિમ ઉત્તર પ્રદેશના નોઈડામાંથી મંદિર હોય કે મસ્જિદ, લાઉડસ્પીકર નીચે ઉતારવામાં આવી રહ્યા

લખનૌ, 28 નવેમ્બરઃ Yogi Govt Decision: બુલડોઝર મોડલ સાથે કાયદાના શાસનને લઈને દેશભરમાં પ્રખ્યાત થઈ રહેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ‘રીમૂવ લાઉડસ્પીકર’ મોડલ હવે ફરી ચર્ચામાં આવી ગયું છે. જે બાદ પ્રશાસન રાજ્યભરમાં સ્પીકર હટાવવાની કામગીરી કડક હાથે કરી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના અધિકારીઓને કડક આદેશ આપ્યો છે કે, જો ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર, પછી તે મંદિર હોય કે મસ્જિદ, આરતી કે અઝાન, નિયમોનો ભંગ કરતા હોય તો તેને દૂર કરો. પશ્ચિમ ઉત્તર પ્રદેશના નોઈડામાંથી મંદિર હોય કે મસ્જિદ, લાઉડસ્પીકર નીચે ઉતારવામાં આવી રહ્યા છે.

આ સિવાય કાનપુરની એક નહીં પરંતુ અનેક મસ્જિદોમાંથી કાયદાનો ભંગ કરનારા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશની રાજધાનીથી માત્ર પોણા કલાકના અંતરે આવેલા બારાબંકીમાં મસ્જિદના મિનારામાંથી લાઉડસ્પીકર નીચે કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા અઝાન મોટા અવાજમાં ગુંજી રહી હતી. પોલીસકર્મીઓ હવે ઉત્તર પ્રદેશમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર ઉતારીને નીચે એકત્રિત કરી રહ્યા છે.

ફતેહપુરમાં યુપી પોલીસ ખુદ મંદિરના ટોચના થાંભલા પરથી લાઉડસ્પીકર હટાવી રહી છે. મંદિરની સાથે સાથે મસ્જિદમાંથી પણ નિયમોનું ઉલ્લંઘન કરીને વગાડતા લાઉડસ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. ફિરોઝાબાદમાં પોલીસે પહેલા કાયદાનો ખુલાસો કર્યો, પછી મસ્જિદ કમિટીના લોકો જાતે જ અલગ-અલગ જગ્યાએ મિનારાઓ પર ચઢી ગયા અને લાઉડસ્પીકર હટાવવા લાગ્યા, જેને હટાવવાનો આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો છે. કૌશામ્બીમાં પણ યુપી પોલીસના આગમન બાદ મંદિરોમાંથી લાઉડસ્પીકરના વાયરો કાપીને નીચે ઉતારવામાં આવ્યા હતા.

સોમવારે ઉત્તર પ્રદેશના ખૂણે ખૂણે અચાનક પોલીસની આ કાર્યવાહી કેમ થઈ? મંદિરો અને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા પોલીસકર્મીઓ કેમ અચાનક આવવા લાગ્યા? વાસ્તવમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે એક બેઠક યોજી હતી. કાયદો અને વ્યવસ્થાના મુદ્દે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી.

આ દરમિયાન લવ જેહાદ અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર દ્વારા નિયમો તોડવાનો મુદ્દો સામે આવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓ પર કડકાઈ દાખવતાં અધિકારીઓએ તુરંત જ લાઉડસ્પીકર હટાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી.

70 ડેસિબલ સુધીનો અવાજ માનવ કાન માટે સામાન્ય છે

પછી તે મસ્જિદની અઝાન હોય કે મંદિરની ભજન-આરતી. ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીએ કહ્યું છે કે જો શાંતિ ઈચ્છતા હોય તો લાઉડસ્પીકર નિયમો પ્રમાણે ચાલશે. નહિંતર તેઓ સીધા નીચે લેવામાં આવશે. કાર્યવાહી એક મહિના સુધી ચાલશે. જેની શરૂઆત સોમવારથી થઈ છે. પહેલા જ દિવસે પોલીસે ધાર્મિક સ્થળો પરથી ત્રણ હજારથી વધુ લાઉડસ્પીકર હટાવી લીધા છે.

માત્ર સોમવારે જ ઉત્તર પ્રદેશમાં 61399 લાઉડસ્પીકર ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 7288નો અવાજ ઓછો થયો હતો. ધાર્મિક સ્થળો પરથી જેનો અવાજ ધોરણ કરતા વધુ હતો, તેવા 3288 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે 70 ડેસિબલ સુધીનો અવાજ માનવ કાન માટે સામાન્ય છે. જો કે, ભારતીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધોરણો અનુસાર, આ મર્યાદા માત્ર 65 ડેસિબલ રાખવામાં આવી છે. જ્યારે આપણે અને તમે એટલે કે બે માણસો એકબીજા સાથે સામાન્ય અવાજમાં વાત કરતા હોઈએ ત્યારે તે અવાજ 60 ડેસિબલનો હોય છે.

રહેણાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન 55 ડેસિબલથી વધુ અને રાત્રે 45 ડેસિબલથી વધુ અવાજ ન હોવો જોઈએ. જ્યારે મંદિરો અને મસ્જિદોમાં વપરાતા લાઉડસ્પીકર આના કરતા વધુ અવાજ ઉત્પન્ન કરે છે.

ભારતમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો અવાજ 110 ડેસિબલ કે તેથી વધુ છે. મસ્જિદો ઉપરાંત મંદિરો અને ગુરુદ્વારામાં પણ આવુ જ છે.

આ પણ વાંચો… Zaverilal Mehta Passed Away: ગુજરાતના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું થયું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો