Pitru Tarpan

Pitru paksha shraddh Place 2022: પિતૃઓની આત્માની શાંતિ માટે આ જગ્યાઓ પર કરો શ્રાદ્ધ, મળશે વિશેષ આશિર્વાદ

Pitru paksha shraddh Place 2022: હિન્દૂ ધર્મ ગ્રંથો અને કથાઓ અનુસાર કેટલાક તીર્થ સ્થળો એવા છે જ્યાં તમે પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરો છો તો એનું બહુ મહત્વ રહેલું છે

ધર્મ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Pitru paksha shraddh Place 2022: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવાથી એમની આત્માને શાંતિ મળે છે. આ સિવાય આપણાં પૂર્વજો આશીર્વાદ આપે છે અને આપણાં જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર કરે છે. પિતૃ પક્ષના દિવસોમાં સારા કામ કરવાની મનાઇ હોય છે. જો તમે કોઇ સારું કામ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા નોરતાંથી કરી શકો છો.

માનવામાં આવે છે કે આ દિવસો માત્ર પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસોમાં ખાસ કરીને શ્રાદ્ધ કરવામાં આવે છે અને એમની પસંદગીનું ભોજન બનાવવામાં આવતુ હોય છે. તો આજે અમે તમને જણાવી દઇએ કે હિન્દૂ ધર્મ ગ્રંથો અને કથાઓ અનુસાર કેટલાક તીર્થ સ્થળો એવા છે જ્યાં તમે પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરો છો તો એનું બહુ મહત્વ રહેલું છે. જાણો આ વિશે ભોપાલના રહેવાસી જ્યોતિષી શું કહે છે.

આ પણ વાંચોઃ Pantajli IPO Launch: પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO કરશે લૉન્ચ

  • મથુરા એક તીર્થ નગર છે જ્યાં પિંડદાન સમારોહ થાય છે. આ શહેર યમુના નદીના તટ પર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે મથુરામાં પૂર્વંજો માટે શ્રાદ્ધ રાખીને એમનું તર્પણ કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • ભારતનું સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક હરિદ્વાર છે. ગંગા નદીના તટ પર વસેલું આ એક સુંદર શહેર છે. માનવામાં આવે છે કે ગંગા નદીમાં સ્ના કરવાથી તમારા બધા પાપ ધોવાઇ જાય છે. આ સિવાય અહિંયા કોઇ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો એને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ હરિદ્વારમાં નારાયણ શિલા પર પિતૃઓનું તર્પણ કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે.
  • મહાકાલ નગરીના નામથી પ્રસિદ્ધિ ઉજ્જૈન મધ્ય પ્રદેશમાં સ્થિત છે. આ શહેર પિંડદાન સમારોહ માટે એક આદર્શ સ્થાન છે. શિપ્રા નદીના તટ પર સ્થિત આ શહેરમાં લોકો એમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા અને પિંડદાન કરવા માટે આવે છે.
  • ભગવાન રામની જન્મભૂમિથી દરેક લોકો પરિચિત છે. અહિંયા પિંડદાન કરવા માટેની સૌથી સારી જગ્યા છે. આજના આ સમયમાં પણ હજારો લોકો અહિંયા આવે છે અને પૂર્વજો માટે હવન કરાવતા હોય છે. આ સાથે જ એમના માટે શ્રાદ્ધ પણ રાખતા હોય છે.
  • વારાણસીને આપણે બનારસ નામથી પણ ઓળખીએ છીએ. ભારતની સૌથી પવિત્ર નદી ગંગાના કિનારે વસેલું આ શહેર પ્રમુખ તીર્થ સ્થળોમાંનું એક છે. ગંગા નદીના તટ પર અહિંયા લોક મૃત પૂર્વજો માટે પિંડદાન કરીને હવન કરાવતા હોય છે.
  • માન્યતાઓ અનુસાર પ્રયાગરાજમાં પૂર્વજોનું પિંડદાન કરવાથી મૃત્યુ પછી આત્માને જે કષ્ટમાંથી પસાર થવું પડે છે એ અહિંયા પિંડ દાન કરવાથી પૂરું થઇ જાય છે.

આ પણ વાંચોઃ Clean train day: રાજકોટ રેલવે ડિવિઝન પર ‘સ્વચ્છ ટ્રેન દિવસ’ નિમિત્તે ટ્રેનોની વ્યાપક સફાઈ

Gujarati banner 01