Surya Grahan 2021

Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

Surya Grahan 2021: શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે

જ્યોતિષ ડેસ્ક, 16 નવેમ્બરઃ Surya Grahan 2021: સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને સમગ્ર વિશ્વમાં મોટી ખગોળશાસ્ત્રીય ઘટનાઓ માનવામાં આવે છે. આપણા દેશમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટનાઓ વધુ મહત્વપૂર્ણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે તેની અસર તમામ મનુષ્યો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો કે અલગ-અલગ પ્રદેશો અનુસાર ક્યાંક ગ્રહણ દેખાય છે તો ક્યાંક ગ્રહણ નથી દેખાતું.

વર્ષ 2021 સમાપ્ત થઈ રહ્યું છે, પરંતુ વર્ષ પૂરું થાય એ પહેલા સ્ટારગેઝર્સ (stargazers) માટે સારું રહેવાનું છે. વર્ષના અંતમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને થવાના છે. વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર 2021ના થશે, જ્યારે છેલ્લું સૂર્યગ્રહણ(Surya Grahan 2021) 4 ડિસેમ્બર 2021ના રોજ થવાનું છે.

4 ડિસેમ્બર 2021ના માગશર મહિના (ડિસેમ્બર)ની અમાસ એટલે કે કૃષ્ણ પક્ષ તિથિના છેલ્લું સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકના દક્ષિણ ભાગના લોકોને જોવા મળશે. ભારતમાં તેની બહુ અસર (Solar Eclipse in India) નહીં થાય.

આ પણ વાંચોઃ Ravi shastri join LLC: રવિ શાસ્ત્રીને સોંપવામાં આવી નવી જવાબદારી, તેની પર કોચે આપ્યો આવો પ્રતિભાવ

સૂર્યગ્રહણના દિવસે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  • નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અનુસાર લોકોએ સાવચેત રહેવું જોઈએ અને પોતાની આંખોની સુરક્ષા માટે એક્લિપ્સ ગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ. લોકોને સૂર્ય તરફ સીધું ન જોવાની સલાહ આપવામાં આવે છે.
  • નાસા લોકોને સલાહ આપે છે કે ઘરે બનાવેલા ફિલ્ટર અથવા પરંપરાગત સનગ્લાસનો ઉપયોગ ન કરો નહીં તો તેનાથી આંખોને નુકસાન થઈ શકે છે.
  • જો તમે તમારા કેમેરા વડે રિંગ ઓફ ફાયરને કેપ્ચર કરવા આતુર છો, તો નાસાએ આમ કરવાની મનાઈ કરી છે કારણ કે તેનાથી ઈજા થઈ શકે છે.
  • ચશ્મા પહેરનારા લોકો સૂર્યગ્રહણને જોવા માટે તેમના રોજિંદા ચશ્માની ઉપર તેમના ગ્રહણ ચશ્મા (Eclipse Glass) પહેરી શકે છે.
  • જે બાળકો ગ્રહણ જોવા માગે છે તેઓ તેમના માતા-પિતાની દેખરેખ હેઠળ આમ કરી શકે છે.
  • લોકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની અને ઝડપને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે.
  • લોકોને અન્ય વાહનોથી યોગ્ય અંતર જાળવવાની પણ સલાહ આપવામાં આવે છે.
Whatsapp Join Banner Guj