Shocking Prediction About covid: આ મહિલાએ કોરોના વાયરસને લઇ ભવિષ્યવાણી કરી હતી, કહ્યું હતું કે- આગામી બે વર્ષ સુધી આ મુસીબત રહેશે
Shocking Prediction About covid: રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ ક્યારેય મહારાજ નહીં બની શકે. તેમજ હૈરીના ઘરે જલ્દી એક દીકરીનો જન્મ થશે. તેણે એ પણ જણાવ્યું કે, પ્રિન્સ વિલિયમ બ્રિટનના આગામી મહાજારાજ હશે.
લંડન, 03 જુલાઇઃ Shocking Prediction About covid: કોરોના વાયરસને કોઇ કળી શક્યુ ન હતું. પરંતુ બ્રિટનમાં રહેતી ભવિષ્યવેત્તા મહિલા રોક્સાને ફર્નિવાલે વર્ષ 2018માં જ કોરોના મહામારીને લઈને ભવિષ્યવાણી કરી હતી. ફર્નિવાલે જણાવ્યું કે, તેણે એક સ્વાસ્થ્ય કર્મચારી મહિલાને જોયા બાદ આ ભવિષ્યવાણી કરી દીધી હતી. પરંતુ સરકારે તેના તરફ ધ્યાન ન આપ્યું.
રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, આગામી બેથી ત્રણ વર્ષ સુધી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો કે, ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળી શકે છે. રોક્સાને જણાવ્યું કે, મને મહેસૂસ થયું હતું કે ચારેય તરફ કાળા વાદળ છવાયેલા છે અને વર્ષ 2020માં જ્યારે મહામારી આવ્યા હોવાના સંકેત મળ્યા તો મને યાદ આવ્યું કે મેં જે મુશ્કેલી વિશે ભવિષ્યવાણી કરી હતી, તે આ મુશ્કેલી છે.
રોક્સાને ફર્નિવાલે ઉંમર અને પરિપક્વતાને લઈને પણ પોતાની વાત કહી હતી. રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, પહેલા તે હોસ્પિટાલિટી સેક્ટરમાં હતી. જ્યારે તે 27 વર્ષની હતી ત્યારે તેના છૂટાછેડા થઈ ગયા હતા. તે સમયે તેનું બાળક 9 મહિનાનું હતું. જ્યારે તે 30 વર્ષની થઈ ત્યારે તેને એ વાતનું ભાણ થયું કે તેનામાં કંઈક ખાસ છે. પછી તેને ભવિષ્યવાણીની વાતો પર ધ્યાન આપ્યું.
ઉલ્લેખનીય છે કે, રોક્સાનેના દાવા હંમેશાં સાચા સાબિત થયા છે. તેના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીના કારણે દુનિયામાં લોકોની જીવવાની રીત બદલાઈ જશે. એકબીજાને હળવા-મળવાનું બંધ થઈ જશે. કેમ કે, આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ કોરોના મહામારી ફરીથી આવશે. તેની ઝલક એ વાતથી જોવા મળી રહી છે કે બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે અને નવા વેરિઅન્ટ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad development: સીએમ રૂપાણીએ AMC ને અમદાવાદ શહેરના વિકાસ માટે ફાળવ્યા 702 કરોડ રૂપિયા- વાંચો વિગત