passenger train

Ahmedabad-Tiruchirappalli Train: અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવ્યા

અમદાવાદ, 22 ઓગસ્ટ: Ahmedabad-Tiruchirappalli Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના કુલ 8 ફેરા સ્પેશિયલ ભાડા પર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (કુલ 08 ફેરા)

ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 31 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 07 સપ્ટેમ્બર, 2023થી 28 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે 03 સપ્ટેમ્બર 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 10 સપ્ટેમ્બર 2023 થી 01 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09419 ના લંબાવવામાં આવેલ ફેરા માટેનું બુકિંગ 24 ઑગસ્ટ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

આ પણ વાંચો:UTS APP: અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ATVM સુવિધા ઉપલબ્ધ છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો