Now on 30 of objective: શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 30 ટકા પૂછાશે હેતુલક્ષી પ્રશ્નો
Now on 30 of objective: વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ મોટી જાહેરાત કરી
ગાંધીનગર, 27 નવેમ્બરઃNow on 30 of objective: ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે હવેથી સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે
રાજ્યના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે, અને ચિંતામુક્ત વાતાવરણમાં હેતુલક્ષી પ્રશ્નો જે 20 ટકા પૂછાતા હતા, તે હવે 30 ટકા પૂછાશે, વણાત્મક જે 80 ટકા પૂછાતા હતા, તે હવે 70 ટકા પૂછાશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં ફાયદો થાય તેને ધ્યાને રાખીને હેતુલક્ષી પરીક્ષામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 29 લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે.
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ પ્રકારની મોટી જાહેરાત કરી છે. કોરોનાની સ્થિતીને ધ્યાને તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે તેથી આ નિર્ણય અતિ મહત્વનો માનવામાં આવે છે