Cycle yatra manali 2

Cycle yatra manali: ગર્વની વાતઃ ગુજરાતની દીકરીએ મનાલી-લેહથી ખારદુંગ્લાની સાઇકલ યાત્રા દ્વારા કોરોનાથી બચવા રસી મૂકવવાનો લોકોને સંદેશ આપ્યો..!

Cycle yatra manali: વડોદરાની નિશાકુમારીના નેતૃત્વ હેઠળ 13 સાયકલિંગ સાહસિકોએ હિમાલયના બર્ફીલા પ્રદેશમાં 560 કિમીની સાયકલ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચવા રસી મૂકાવોનો સંદેશ આપ્યો

  • Cycle yatra manali: રિબર્થ એડવેન્ચર સંસ્થાના નેજા હેઠળ મનાલી-લેહથી ખારદુંગ્લાની રસી સંદેશ સાયકલ યાત્રા દરમિયાન 50 ફૂટનો વિશાળ રાષ્ટ્ર ધ્વજ સાહસિકો એ લહેરાવ્યો

વડોદરા: ૦૪ જુલાઈ: Cycle yatra manali: વડોદરાની દીકરી નિશાકુમારીએ હિમાલયના બરફસ્તાનમાં કોરોનાની રસી લેવાની લોક જાગૃતિ કેળવવા રાઇડ ફોર નેશન.. રાઈડ ફોર વેક્સિનેશન સાયકલ યાત્રાનું નેતૃત્વ કરીને શહેરને ગૌરવ અપાવ્યું છે.આ સાયકલ યાત્રામાં વિવિધ સ્થળોના 13 સાહસિકો જોડાયાં હતાં. સાહસ પ્રવૃત્તિઓ નું સંચાલન કરતી પાલનપુરની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું.

નિશાકુમારી અને સાયકલ (Cycle yatra manali) સાથીઓએ લેહમાં 50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી.લેહ થી ખરદુંગ્લા થી પરત લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમત નો દાખલો બેસાડ્યો હતો.

તા. 21 મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ (Cycle yatra manali) પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું. 30 મી જૂને નિશા ખરદુંગ્લાની એકલ યાત્રાથી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાન નું સમાપન થયું હતું.

આ પણ વાંચો…Sirisha Bandla: ભારતીય મૂળની આ અવકાશયાત્રી પણ સ્પેસમાં જશે, બનશે અંતરિક્ષ પ્રવાસ ખેડનારી ત્રીજી ભારતીય નારી

સમગ્ર યાત્રા દરમિયાન (Cycle yatra manali) પોલીસ, પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી. આ ટીમે રસી અભિયાનને વેગ આપવા મનાલી, મહરી,તાંડી, જીપસા, ઝિંઝિંગ બાર, સાર્ચું, વિસ્કી નાલા,સોકર, લટો અને લેહની મુલાકાત લીધી હતી.દરેક સ્થળે લોકોએ આ રસીકરણનો સંદેશ લઈને આવેલા સાહસિકો ને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો

લેહમાં એડીએમ એ આ ટીમને અંદરુની વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસના રોકાણની ખાસ પરવાનગી આપી હતી. સંસ્થા સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ,નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે.હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા (Cycle yatra manali) પ્રથમવાર યોજવામાં આવી હતી.તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

નિશાકુમારીની સાહસિકતા, ધગશ અને ઉત્સાહની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે, તેની અભિલાષા એવરેસ્ટ સહિત ત્રણ બર્ફીલા પહાડો એક સાથે સર કરવાની છે જેનો મહાવરો હાલમાં હિમાલયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈને કરી રહી છે. કોરોનાની રસીની અગત્યતા સમજાવવા હિમાલય ખુંદવાના આ જજબા માટે નિશા અને તેના સાથી સહયોગીઓ અને રીબર્થ એડવેન્ચર સંસ્થા સલામીને પાત્ર છે. વડોદરાની નિશાકુમારીના નેતૃત્વ હેઠળ 13 સાયકલિંગ સાહસિકોએ હિમાલયના બર્ફીલા પ્રદેશમાં 560 કિમીની સાયકલ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચવા રસી મૂકાવોનો સંદેશ આપ્યો.

માહિતી: નિલેશ બારોટ ,સૌજન્ય: જયેશ ભાલાવાલા, ચીફ કોચ,SAG વડોદરા