sayaji hospital 119 days patient corona

119 day corona treatment: કોરોના અને તેના લીધે બગડી ગયેલા ફેફસાંને સુધારવાની 119 દિવસ સારવાર આપીને પુષ્પાબેનને કર્યા રોગમુક્ત

119 day corona treatment: મધ્ય ગુજરાત અને કદાચિત ગુજરાતમાં કોરોના અને સંલગ્ન માંદગીની વિક્રમ જનક લાંબી સારવાર દ્વારા તંદુરસ્તીનો પ્રથમ કિસ્સો

  • સયાજી હોસ્પિટલે સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાતનો દાખલો બેસાડ્યો છે

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૮ ઓગસ્ટ:
119 day corona treatment: કોરોના કાળમાં મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલે જીવલેણ કોરોનાની સમર્પિત સારવાર કરીને દર્દીઓની જીવન દોર લંબાવવાની અનેક યશસ્વી ગાથાઓ આલેખી છે. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના પુષ્પાબેન તડવીને કોરોના અને તેના લીધે ફેફસાની થયેલી ખાનાખરાબીમાંથી મુક્ત કરીને ટીમ સયાજીએ એ યશ ગાથામાં વધુ એક યશસ્વી પ્રકરણ ઉમેર્યું છે.

આ પુષ્પાબેન તા.૩૦ મી (119 day corona treatment) એપ્રિલ થી ૨૬ મી ઓગસ્ટ સુધી, લગભગ ૧૧૯ દિવસ પ્રથમ સમરસ અને પછી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં. આ પૈકી લગભગ ૭૭ દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા.વિક્રમજનક લાંબી અને સમર્પિત સારવારનો આ કિસ્સો ગુજરાતની સરકારી હોસ્પિટલોના સારવાર સેવાના ઇતિહાસમાં અનન્ય ગણાશે એ નિશ્ચિત છે. આ દર્દીને તા.૩૦ મી એપ્રિલના રોજ સમરસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી અને ફેફસાંને લગભગ ૮૫ ટકા નુકશાન થઈ ચૂક્યું હતું તેવી જાણકારી આપતાં કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તેમનો કોરોના સંબંધી આરટીપીઆર રિપોર્ટ તો મે મહિનામાં જ નેગેટિવ થઇ ગયો હતો.

આ પણ વાંચો… Hanuman ji: હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર? સાથે જાણો બજરંગબલી નામ પાછળની રોચક કથા

જો કે કોરોનાને લીધે તેમના ફેફસાં લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટર સારવાર જરૂરી હતી. ૧૧ મી જૂને દર્દીઓ ઘટી જતાં સમરસ વિસ્તરણ સુવિધા બંધ થઈ જતાં, પુષ્પાબેનને છેલ્લા દર્દી તરીકે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં તેમની રેસપીરેટરી આઈ. સી. યુ.(આર. આઈ. સી. યુ.) માં ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ વેન્ટિલેટર સારવાર આગળ ધપાવવામાં આવી. આ ટીમના ડો.પીંકેશ રાઠવા, ડો.પ્રિયંકા પટેલ, ડો. અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સ્ટાફે નવજીવન આપવાના સંકલ્પ સાથે તેમની અવિરત સારવાર કરી.દર્દીનું મનોબળ વધાર્યું.

119 day corona treatment, sayaji hospital

તેમના બગડેલા ફેફસાં સુધારવા,નવેસરથી કાર્યરત કરવા, ફેફસાંનું બ્લડ પ્રેશર ઘટાડવા, ફાઇબ્રોસીસનું નિવારણ કરીને તેમને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેકશન આપ્યા. આખરે તેમની જહેમત અને યમદૂતો સામે પુષ્પાબેનની મક્કમ લડત રંગ લાવી અને આજે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત થઈને,નવજીવન પામીને હોસ્પિટલમાંથી વિદાય થયા ત્યારે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું.દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા તો ડોક્ટરો અને સ્ટાફની આંખોમાં કોઈનું જીવન બચાવવાની મહેનત લેખે લાગ્યાના હર્ષની ભીનાશ હતી.

૩૮ વર્ષની વયના આ દર્દી તલાટી તરીકે સરકારના સેવક છે.
આંખો બંને તરફ ભીની હતી માત્ર કારણો જુદાં હતા. પુષ્પાબહેનને કોરોના અને સંલગ્ન બીમારી સામે જિંદગીનો જંગ જીતાડી ટીમ સયાજીએ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાતનો દાખલો બેસાડ્યો છે.

Whatsapp Join Banner Guj