Dr Vinod Rao VDR

આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે:વિનોદ રાવ

Dr Vinod Rao VDR

વડોદરાના લોકો આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે: ખાસ ફરજ પરના અધિકારીનો અનુરોધ

વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવે વડોદરા શહેર અને જિલ્લાના લોકોને,કોરોના હજુ ગયો નથી એ વાત સતત મનમાં રાખીને આગામી તહેવારો કોરોનાથી બચવાની તકેદારીઓ અને સાવચેતી ચુસ્ત પણે પાળી,સંયમ અને નિયમો પાળી ઉજવે એવો ખાસ અનુરોધ કર્યો છે.

સહુ યાદ રાખે કે જો સાવચેતી હટશે તો કોવિડની બીજી લહેર આવવાની શક્યતા હકીકત બની શકે છે.

તેમણે જણાવ્યું કે આરોગ્ય સહિત વિવિધ કર્મયોગી અને માધ્યમો છેલ્લા ૨૦૦ દિવસ થી,એક પણ દિવસનો વિરામ લીધા વગર,જોખમ વહોરીને કોરોના સામે લડત આપી રહ્યાં છે.ત્યારે લોક સહયોગથી અને તહેવારોની સંયમિત ઉજવણી થી સહુ કોરોના સામે સુરક્ષિત રહે એવી તેમને લાગણી વ્યક્ત કરી છે.

Reporter Banner FINAL 1
loading…