Arvind Kejriwal Gujarat visit: ફરી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ
Arvind Kejriwal Gujarat visit: ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને આપશે ગેરન્ટી
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ 11 સપ્ટેમ્બરની સાંજે ૭:૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
તેઓ રાત્રે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
બીજા દિવસે તારીખ 12 સપ્ટેમ્બર, 2022ના રોજ અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ તારીખ 13 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે નેતાઓ અને કાર્યકરો જોડે ચર્ચા કરશે અને એ જ દરમિયાન નવા જોઈનીંગ પણ કરશે, બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે. અને ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે ૪ વાગ્યે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચોઃ RBI Cancelled Bank License: RBIએ આ બેંકનું લાયસન્સ કર્યુ રદ, આ તારીખ બાદ નહીં ઉપાડી શકાય પૈસા