Ravindra Jadeja AFP 640 edited 1

Jadeja ruled out of t20 world cup 2022: આ ખેલાડીની ગેરહાજરીથી ટી20 વિશ્વકપમાં ભારતને પડશે મોટી ખોટ, વાંચો વિગત

Jadeja ruled out of t20 world cup 2022: ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Jadeja ruled out of t20 world cup 2022: ટી20 વિશ્વકપ માટે જલદી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવે તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા અને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. સારા સમાચાર છે કે હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહે ફિટનેટ ટેસ્ટ પાસ કરી લીધી છે.

આ બંને બોલરને વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ જે ખરાબ સમાચાર છે તે પ્રમાણે રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે વિશ્વકપમાં રમી શકશે નહીં. 

ઇનસાઇડસ્પોર્ટ્સના રિપોર્ટ મુજબ, જાડેજાના ઘુંટણમાં ઈજા હતી તેનું હવે સફળ ઓપરેશન થયું છે. આ સર્જરીને કારણે ટી20 વિશ્વકપ સુધી જાડેજાના ફિટ થવાની સંભાવના નહિવત છે. તેવામાં તે આ મેગા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Arvind Kejriwal Gujarat visit: ફરી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ

નોંધનીય છે કે જાડેજાએ થોડા દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. જડ્ડુએ આ પોસ્ટ સાથે પોતાની સર્જરીની જાણકારી આપી હતી. જાડેજાએ કહ્યું હતું કે તે જલદી મેદાન પર વાપસીનો પ્રયાસ કરશે. 

જાડેજાએ ફોટો સાથે કેપ્શન લખ્યું, ‘સર્જરી સફળ રહી. ઘણા લોકોએ સમર્થન આપ્યું તે માટે તેનો આભાર માનુ છું. તેમાં બીસીસીઆઈ, મારા ટીમમેટ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર અને ફેન્સ સામેલ છે. હું જલદી મારૂ રિહેબ કરીશ અને જેટલો જલદી બની શકે ક્રિકેટ ફિલ્ડ પર વાપસીનો પ્રયાસ કરીશ. શુભકામનાઓ માટે બધાનો આભાર.’

જાડેજા ઘણા સમયથી ઘુંટણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એશિયા કપ પહેલા પણ જાડેજા ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમમાં વાપસી કરી હતી. ત્યારબાદ તે સતત ફોર્મમાં છે. ટી20 વિશ્વકપમાં જાડેજાનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે એક ઝટકો છે.

આ પણ વાંચોઃ Shankaracharya swami swaroopanand saraswati passes away: દ્વારકા તથા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

Gujarati banner 01