864002 chudasamabhupendrasinh 020318

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી(Bhupendrasinh chudasama)ને પણ થયો કોરોના, સારવાર માટે હોસ્પિટલમાં થયા દાખલ

Bhupendrasinh chudasama

ગાંધીનગર, 08 એપ્રિલઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh chudasama) કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તો આ સાથે જ ભાજપના નેતા આઈ કે જાડેજા કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો હોવાથી તેઓ પણ યુએન હોસ્પિટલમાં દાખલ થશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતના અનેક ધારાસભ્યો, સાંસદ અને દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપીને આસપાસના લોકોને ટેસ્ટ કરાવી લેવા સૂચના આપી છે. 

ADVT Dental Titanium

તો બીજી તરફ, કોરોનાના કારણે ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખના કાર્યક્રમો રદ કરાયા છે. પોતાના વતનમાં સ્વાગતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રશાંત કોરાટના સ્વાગત કાર્યક્રમો અને રેલીનું આયોજન હતું. પ્રદેશ ભાજપે જાહેર કર્યા પ્રમાણે તમામ સ્વાગત કાર્યક્રમો રદ કર્યા છે. 

આ પણ વાંચો….

વધતા કેસોને લઇ શહેરે લીધોનો મોટો નિર્ણયઃ રાત્રી કરફ્યુ(Curfew) બાદ હવે બપોરે પણ બજાર બંધ રહેશે, વાંચો સંપૂર્ણ અહેવાલ