CM vijay rupani

Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી

  • બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય
  • બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો.

ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના કપરા સમયમાં બાળકોને સુરક્ષા મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર કોઈ પણ પરિવારના ૦ થી ૧૮ વર્ષના બાળકો સુરક્ષા વિનાના ન રહે એ માટે સુરક્ષા-કવચ પુરુ પાડવામાં આવ્યું છે. જે મુજબ કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય અને એ બાળક-બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ. ૩,૦૦૦ ની સહાય આપવામાં આવશે.
જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો ૦૭૯-૨૬૫૮૭૭૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.

Gujarat Government

આ ઉપરાંત Gujarat Government જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
• ૬ થી ૧૮ વર્ષના છોકરાઓ માટેની સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ, ગામ- શિયાળ, તા-બાવળા, જિલ્લો – અમદાવાદ. સંપર્ક નંબર- ૯૫૫૮૮૭૮૨૬૫
• ૬ થી ૧૮ વર્ષની છોકરીઓ માટે સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ઓઢવ, પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. સંપર્ક નંબર- ૯૨૬૫૧-૭૩૬૬૪
• ૦ થી ૬ વર્ષના બાળકો માટેની સંસ્થા – સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી- ઓઢવ પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. ૮૯૮૦૮૪૧૮૩૨

Gujarat Government

ઉપરોક્ત સંસ્થાઓમાં બાળકોના પ્રવેશ મેળવવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન ચંદ્રિકાબહેન- ૯૪૨૬૦-૮૨૫૬૬, સભ્ય અજીતભાઈ- મો- ૯૪૨૭૦-૫૦૨૭૦, સભ્ય જીતુભાઈ- મો- ૯૮૯૮૦-૧૯૪૪૨ અને સભ્ય સંતોષભાઈ- ૯૪૨૬૦-૭૭૫૫૦નો સંપર્ક કરી મંજૂરી મેળવવાની રહેશે.

આ પણ વાંચો…..

રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત