નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) થયા કોરોના સંક્રમિત, સારવાર યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ
- છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર
- અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
અમદાવાદ, 24 એપ્રિલ: ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર અનેક લોકોના જીવ લીધા પછી પણ શાંત પડી રહ્યો નથી ત્યારે શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) પણ કોરોના પોઝિટીવ આવતા સારવાર અર્થે અમદાવાદની યુ એન મેહતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર નીતિન પટેલે(Nitin Patel) સામાન્ય લક્ષણ દેખાતા તેમણે રીપોર્ટ કરાવ્યો હતો જે પોજીટીવ આવતા તાત્કાલિક તેમને યુ એન મેહતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે દિવસથી નીતિન પટેલ(Nitin Patel) અમદાવાદની મુલકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અનેક લોકાર્પર્ણ કાર્યકમમાં હાજર રહ્યા હતા .જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા, શનિવારે પણ ગાંધીનગર સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટના ઉદ્દધાટન કાર્યકમમાં પણ તેઓ અમિત શાહ અને વિજય રૂપાણીની સાથે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો…