CM Bhupendra Patel speech

Nonveg ban issue: વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: મુખ્યમંત્રી

Nonveg ban issue: નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, ૧૫ નવેમ્બર: Nonveg ban issue: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો-રસ્તા પરથી હટાવવાના મૂદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો નિર્ણય છે.

આ સંદર્ભેમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે જે નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે. મુખ્યમંત્રીએ આણંદ જિલ્લામાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો…Nagwa Beach parasailing: દીવના આ બીચ પર પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું… પછી શું થયું જુઓ અહીં

Whatsapp Join Banner Guj