Gandhinagar-Varanasi Exp Canceled: ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ
Gandhinagar-Varanasi Exp Canceled: ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે
અમદાવાદ, 19 ડિસેમ્બર: Gandhinagar-Varanasi Exp Canceled: ભોપાલ ડિવિઝનના રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –
1. 27 ડિસેમ્બર, 2023 અને 03 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22467 વારાણસી ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
2. 28 ડિસેમ્બર, 2023 અને 04 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ એ કૃપા કરીને www.enquir.indianrail.gov.in ની મુલાકાત લેવી.
Corona Return in Gujarat: ગુજરાતમાં પાછો ફર્યો કોરોના વાયરસ, ગાંધીનગરમાં નોંધાયા બે કેસ