Kolhapur station: અમદાવાદ – પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત

Kolhapur station: કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.

અમદાવાદ , ૦૪ જુલાઈ: Kolhapur station: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને ટ્રેન નંબર 01049/01050 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી પુણે વચ્ચે આ ટ્રેનના સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર થયો નથી. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 01049 અમદાવાદ-કોલ્હાપુર (Kolhapur station) સ્પેશિયલ 11 જુલાઈ 2021 થી દર રવિવારે 20:20 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 14:40 કલાકે કોલ્હાપુર પહોંચશે.

આ પણ વાંચો…Jio Emergency Data Loan: ડેટા પુરો થઇ જવા પર ચિંતા ન કરો, કંપનીએ શરુ કરી ડેટા લોન નામની નવી સર્વિસ- વાંચો વિગત

વાપસીમાં ટ્રેન નંબર 01050 કોલ્હાપુર-અમદાવાદ સ્પેશિયલ (Kolhapur station) કોલ્હાપુરથી 10 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર શનિવારે 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:30 કલાકે અમદાવાદ પહોંચશે.

પૂણેથી કોલ્હાપુર (Kolhapur station) જતા બંને માર્ગમાં આ ટ્રેન સતારા, સાંગલી, મિરજ, હટકંજેલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના રિઝર્વ કોચ રહેશે.મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.