Sabarmati-Jodhpur cancel: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 2 દિવસ રદ રહેશે
Sabarmati-Jodhpur cancel: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.
અમદાવાદ, 28 ડિસેમ્બર: Sabarmati-Jodhpur cancel: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
- 29 અને 30 ડિસેમ્બર 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.
- 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે?: પૂજા પટેલ