Special Train: સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેનના સ્ટોપેજ લંબાવાયા
Special Train: મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
અમદાવાદ, ૦૫ જુલાઈ: Special Train: મુસાફરોની માંગ અને સુવિધા માટે રેલ પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 01463/01465 અને 01464/01466 સોમનાથ-જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનને તારીખ 07 જુલાઈ 2021 થી રતલામ મંડળના મકસી સ્ટેશન પર તથા ટ્રેન નંબર 01465/01466 સોમનાથ-જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનને તારીખ 07 જુલાઇ 2021 થી બેચ્છા, કાલિસિંધ, અકોડીયા, કાલાપીપલ અને પારબતી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પૂરા પાડવામાં આવ્યા છે.
મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો… Surat Blind Anaj: સુરતના અંધજન વિકાસ કેન્દ્ર ખાતે અનાજની કીટ વિતરણ કરાઈ