Unreserved special trains: 3 સપ્ટેમ્બર થી ચાલશે અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા અનરીઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેનો
અમદાવાદ , ૨૭ ઓગસ્ટ: Unreserved special trains: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેનંનં. 09495 / 09496 અમદાવાદ–વડોદરા–અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન
ટ્રેનં નં. 09496 અમદાવાદ-વડોદરા-પેસેન્જર સ્પેશ્યલ (Unreserved special trains) તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી અમદાવાદ થી પ્રતિ દિવસ 15.00 કલાકે ઉપડીને 17.45 કલાકે વડોદરા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વડોદરાથી પ્રતિ દિવસ 06.30 કલાકે ઉપડીને 08.55 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણીનગર, બારેજડી, મહેમદાવાદ રોડ, નડિયાદ, આણંદ તથા વાસદ સ્ટેશનોએ રોકાશે.
2. ટ્રેનંનં. 09488 / 09487 વિરગામ–મહેસાણા–વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન
ટ્રેનં નં. 09488 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ (Unreserved special trains) તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વિરમગામ થી પ્રતિ દિવસ 07.00 કલાકે ઉપડીને 08.30 કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 09.20 કલાકે ઉપડીને 10.50 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ,કટોસણ રોડ, જોટાણા અને લીંચ સ્ટેશનોએ રોકાશે.
3. ટ્રેનંનં. 09492 / 09491 વિરગામ–મહેસાણા–વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન
ટ્રેનં નં. 09492 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વિરમગામ થી પ્રતિ દિવસ 17.25 કલાકે ઉપડીને 18.50 કલાકે મહેસાણાપહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09491 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 19.30 કલાકે ઉપડીન 21.00 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશનોએ રોકાશે.