Ravi shankar

Ravi shankar prasad targeted congress: કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે- રવિશંકર પ્રસાદ

Ravi shankar prasad targeted congress: પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

રાજકોટ, 29 નવેમ્બર: Ravi shankar prasad targeted congress: ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં એક પછી એક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. અત્યારે ભારત જોડો યાત્રા કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળી છે ત્યારે તેમણે આ વાત કહી હતી. 

ભાજપમાં કેટલાક નેતાઓ નારાજ થઈ રહ્યા છે આ વાતને પૂછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંગઠન વિચારીને નિર્ણય લે છે. જેઓ નારાજ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને સમજે પણ છે. નિતીશ બાબુ આરજેડી સાથે ગયા છે.

બિહારમાં અપરાધ જોવા મળ્યા છે. બિહારમાં એઈમ્સ, આઈઆઈએમ સહીતની શિક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેઓ અત્યારે ગઠબંધનથી અલગ થયા છે. બિહારના લોકોને ભ્રષ્ટાચારથી બચાવવાના છે ત્યાંના લોકોને અપરાધથી બચાવવાના છે. 

ખેડૂતોની વાત કરવામાં આવે તો અહીં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતો માટે વીજળીની વાત છે ત્યારે ગુજરાતમાં વીજળી ખેડૂતોને પહેલા જ તેમને ખેતરમાં અલગથી જ વીજળી મળી રહી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.  

આ પણ વાંચો: Gujarat election campaign: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવારનો અનોખી રીતે પ્રચાર, જાણો શું કર્યું…

Gujarati banner 01