આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૨૫ નવા દર્દીઓ નોંધાયા ૭૯૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૫જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૯૨૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૮૭,૭૦૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૦,૨૮૧ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૪૭,૭૫૪ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છેઅને ૨,૫૨૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૬૮ અને સ્ટેબલ ૧૧૧૫૩ કુલ દર્દીઓ છે.