Ambaji aapeshwar mahadev mandir: આપેશ્વર મહાદેવ મંદિર ની રબારી સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
Ambaji aapeshwar mahadev mandir: અંબાજી ખાતે નવનિર્મિત આપેશ્વર મહાદેવ મંદિર ની રબારી સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જાન્યુઆરી: Ambaji aapeshwar mahadev mandir: યાત્રાધામ અંબાજી ખાતે નવનિર્મિત આપેશ્વર મહાદેવ મંદિર ની રબારી સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે રબારીવાસ ગોળીયા માં પાણી ની તંગી ને લઈ એક કુવા નું ખોદકામ કરવામાં આવેલ ને તે દરમિયાન નારિયળ જેવો પથ્થરનો ગોળો નીકળે ને તેને ફોડતા શિવલિંગ આકાર નું પથ્થર મળી આવતા સમગ્ર રબારી સમાજ દ્વારા શિવલિંગ આકારના નીકળેલા ગોળાકાર પથ્થર ને મહાદેવજી ના શિવલિંગ સ્વરૂપ માની આપેશ્વર મહાદેવ નામકરણ કરવામાં આવ્યું હતું.
આજે સમગ્ર રબારી સમાજ દ્વારા વિશાળ મંદિર નું નિર્માણ કાર્ય કરી આપેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે ને સમગ્ર અંબાજી શહેર માં વિશાળ શોભાયાત્રા સહીત કળશ યાત્રા અને મંદિરના પ્રાંગણ માં હોમહવન ને સ્થાપિત કરવામાં આવેલ વિવિધ મૂર્તિઓ ની શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન રબારી સમાજ ના સાધુ સંતો ને મહંતો ઉપસ્થિત રહ્યા હતા ને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.