Ambaji death story: અંબાજી માં મૃત્યુ સમજેલો વ્યક્તિ જીવીત નીકળ્યો. .
Ambaji death story: અંબાજી ના કુમ્ભારીયા ની ઘટના. . .
Ambaji death story: અંબાજી ના કુમ્ભારીયા માં સર્જાયેલી ઘટના એ ભારે કુતુહલતા સજતી. . . .
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ ડિસેમ્બરઃ Ambaji death story: શક્તિપીઠ અંબાજી માં કુંભારીયા જૈનદેરાસર જવા ના માર્ગે એક નાળા માં કોઈ અજાણ્યા પુરુષ ના પગ દેખાતા મૃતદેહ માની અંબાજી પોલીસ ને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી સધન તપાસ હાથ ધરાતા નાળા ની અંદર પડેલા માણસ ના પગ હલનચલન થતા જીવિત હોવાનું માલુમ પડેલ.
પોલીસે તાત્કાલિક નાળા માંથી તે વ્યક્તિ ને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને ભારે જેહમત થી નાળા માં ફસાયેલા વ્યક્તિ ને જીવીત બહાર કાઢાયો હતો અને તાત્કાલિક 108 એમ્યુલન્સ મારફતે આ વ્યક્તિ ને અંબાજી ની જનરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જોકે આ વ્યક્તિ નાળા માં કેવી રીતે ગયો ? અને કેટલા સમય થી અંદર રહ્યો ? તે બાબતે કોઈ સ્પષ્ટતા થવા પામેલ નથી ,
જોકે આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજ નો હોવાનું જાણવા મળેલ છે ને ઠંડી થી બચવા નાળા માં ઘુસ્યો હોય તેવુ મનાઈ રહ્યુ છે.