kejriwal bhagwant man

Arvind kejriwal announcement: અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં મહિલાઓ માટે કરી મોટી જાહેરાત, જાણો….

  • અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી: અરવિંદ કેજરીવાલ
  • ડિસેમ્બરમાં ‘આપ’ની સરકાર બનશે અને 1 માર્ચથી સૌનાં વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ
  • દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી, ગુજરાતમાં પણ દરેક લોકોને મફત સારવાર આપીશું: અરવિંદ કેજરીવાલ

Arvind kejriwal announcement: અમારી સરકાર બન્યા બાદ અમે મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ આપીશું: અરવિંદ કેજરીવાલ

ગાંધીનગર, 01 ઓક્ટોબર: Arvind kejriwal announcement: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એરપોર્ટથી નીકળીને ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડ પહોંચ્યા.

મને રાજનીતિ, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી કરતા નથી આવડતી, કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગાંધીધામની જાહેર સભામાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, મને જણાવવામાં આવ્યું છે કે અહીં પર જે મેદાન છે ત્યાં દર શનિવારે ગરીબ લોકો પોતાની દુકાનો લગાવે છે અને એક બજાર ભરાય છે. આજે તેઓએ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે આ મેદાન આપી દીધું. હું તેમને વંદન કરું છું, હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગરીબોનો આર્શીવાદ મળે છે એનો અર્થ એ છે કે ભગવાનનો આર્શીવાદ મળ્યો છે.

આજે તમારા સૌનો આર્શીવાદ મળ્યો છે એનો અર્થ એ છે કે ગુજરાતમાં પરિવર્તન આવીને રહેશે. હું છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત આવી રહ્યો છું અને જ્યારે પણ હું ગુજરાત આવું છું ત્યારે ગુજરાતની જનતા તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે તેને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. હું માત્ર એટલું જ કહીશ કે ડિસેમ્બરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે હું તમારા પ્રેમનું વ્યાજ એક-એક કરીને ઉતારી દઈશ. જે કામ કહ્યા છે એ બધા કામ કરીશ.

મને રાજનીતિ, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી કરતા નથી આવડતી, કામ કરતા આવડે છે. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું અને ભગવંત માન 6 મહિનાથી પંજાબના મુખ્યમંત્રી છે, અમે જનતા માટે કામ કર્યું છે, જનતાની ખૂબ સેવા કરી છે. રાષ્ટ્રનિર્માણનું કામ કર્યું છે. અમે જનતા માટે શાળાઓ બનાવી, હોસ્પિટલો બનાવી, વીજળી આપી, રસ્તાઓ બનાવ્યા, આજે અમારી પાસે બેંક એકાઉન્ટમાં એક પણ પૈસો નથી પરંતુ અમે ઘણું પુણ્ય કમાયા છીએ, અમારી સાથે કરોડો લોકોનો આશીર્વાદ છે.

આ પણ વાંચો: Supreme Court Judge statement: સફળ મિડીયેટર બનવા માટે વકીલોમાં ધીરજ અને પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરૂરી: એમ.આર. શાહ

ડિસેમ્બરમાં ‘આપ’ની સરકાર બનશે અને 1 માર્ચથી સૌનાં વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

હું ગઇ વખત ગુજરાત આવ્યો ત્યારે એક વ્યક્તિ. મને મળવા આવ્યો હતો. હું સભામાં જાઉં છું, જ્યાં હોટલોમાં રોકાઉં છું, જુદા જુદા લોકોને મળતો રહું છું. એ વ્યક્તિએ મને જણાવ્યું કે, ગુજરાતમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. તે વ્યક્તિ તેની સાથે તેનું વીજળીનું બિલ પણ લઈને આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારા ઘરમાં એક લાઈટ, એક પંખો અને એક ટીવી છે. તે છતાં વીજળીનું બિલ ₹3500 આવ્યું છે અને પહેલાંનું પણ ₹17000નું બિલ આપવામાં આવ્યું છે. અને જ્યારે અમે ₹17000નું આ ખોટું બિલ સુધારવા જઈએ છીએ, ત્યારે તે લોકો અમારી પાસે લાંચ માંગતા કહે છે કે પહેલા ₹10000-₹12000 આપો પછી જ તમારું વીજળીનું બિલ ઓછું કરીશું છે, તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, મને એ નથી સમજાતું કે હું વીજળીનું બિલ ભુ કે પછી મારા બાળકોને ભણાવું!

અમે દિલ્હી અને પંજાબમાં મોંઘવારીથી દરેકને રાહત આપવા માટે, દરેકના વીજળીના બિલને ઝીરો કરી દીધા, દરેકના જૂના બિલ માફ કરી દીધા. જો ઇમાનદાર સરકાર આવી તો ગુજરાતમાં પણ આવું થઈ શકે છે. આ લોકો મને ગાળો આપે છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચે છે. હું ઇચ્છું છું કે ગુજરાતના લોકો તેમના મુખ્યમંત્રીને પૂછે કે, તેઓને કેટલી વીજળી મફતમાં મળે છે?

મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી અને અન્ય તમામ મંત્રીઓને 4000 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. જો તેમના મંત્રીઓને મફતમાં વીજળી મળી શકતી હોય તો જનતાને ઓછામાં ઓછા 300 યુનિટ વીજળી મફતમાં મળવી જોઈએ. આજે હું અહીંથી એલાન કરવા જઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટીને વોટ આપો, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી સૌના વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશે.

અમારી સરકાર બન્યા બાદ અમે મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ આપીશું: અરવિંદ કેજરીવાલ

અમારી સરકાર બન્યા પછી, અમે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ આપીશું. જો એક પરિવારમાં 3 મહિલાઓ હોય, તો તે પરિવારને દર મહિને ₹3000 મળશે. હું હમણાં સુરત આવ્યો હતો ત્યારે એક દીકરી મારી પાસે આવી અને રડી રહી હતી કે મેં જેવી-તેવી રીતે મારા ગામમાંથી ધોરણ 12 સુધી તો ભણી લીધું છે પરંતું મારા પિતા પાસે નજીકની કોલેજમાં આવવા-જવાના પૈસા નથી. તો આવી ઘણી દીકરીઓ કે જેઓ તેમનો આગળનો અભ્યાસ નથી કરી શકતી તેઓ આ ₹1000ની મદદથી તેમનો આગળનો અભ્યાસ પૂરો કરી શકે છે.

આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે માતાએ પોતાના બાળકોનાં દૂધમાં કાપ મૂકવો પડે છે. જો મહિલાઓને મહિને 1000 રૂપિયા મળે છે, તો માતા તેના બાળકોને સારું ભોજન આપી શકે છે, તેમના શિક્ષણનું ધ્યાન રાખી શકે છે. ઘણી બધી વૃદ્ધ માતાઓને પોતાની દીકરી ઘરે આવે છે ત્યારે તેને કંઈક આપવાની ઈચ્છા હોય છે, પરંતુ પૈસા માટે તેમણે તેમનાં પતિ કે પુત્રની સામે જોવું પડે છે. પરંતુ આ હજાર રૂપિયાના કારણે તેમને કોઈની સામે જોવું નહીં પડે, તે પોતે જ તેમની પુત્રીને 100 રૂપિયા આપી શકે છે.

જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓ બહાર પાડીશું: અરવિંદ કેજરીવાલ

ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે.

દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે.

અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો.

આ પણ વાંચો: Demolition at Bet Drarka: યાત્રાધામ બેટ દ્રારકા ખાતે હાથ ધરાયું મેગા ડીમોલેશન…

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું: અરવિંદ કેજરીવાલ

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે.

દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે.

દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે AAPની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી, ગુજરાતમાં પણ દરેક લોકોને મફત સારવાર આપીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી છે. આજે કોઈને ગંભીર બીમારી થઇ જાય છે તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે મૂકી દેવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. તે પછી અમીર હોય કે ગરીબ હોય, તમામ સારવાર મફત, તમામ દવાઓ મફત, તમામ ટેસ્ટ મફત, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત, આનો અમલ ગુજરાતમાં પણ લાગુ કરીશું.

ખાસ કરીને કચ્છના વિસ્તારમાં મને કહેવામાં આવ્યું છે કે કોઈ સરકારી હોસ્પિટલ નથી, અહીં દરેક જિલ્લામાં એક-એક મોટી સરકારી હોસ્પિટલ ખોલવામાં આવશે. અમે એટલી સારી હોસ્પિટલ ખોલીશું કે પ્રાઈવેટ જવાની જરૂર નહીં પડે. જે રીતે દિલ્હીમાં તમામ સારવાર મફત છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સારવાર મફત કરવામાં આવશે. તમે 27 વર્ષથી તેમને સહન કરી રહ્યા છો, હવે તેમને દૂર કરવાનો સમય આવી ગયો છે.

હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવી નિશ્ચિત છેઃ અરવિંદ કેજરીવાલ

હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું નિશ્વિત છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે, ચારેબાજુ ગુંડાગર્દી શરૂ કરી દીધી છે, લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું છે. મને જાણવા મળ્યું છે કે આ બંને પાર્ટીઓની સિક્રેટ મીટીંગ થઇ રહ્યી છે જેમાં કૈં પણ કરો પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.

તેઓ જાણે છે કે આમ આદમી પાર્ટીના લોકો આવશે તો અમારી લૂંટ બંધ થઈ જશે. જો આમ આદમી પાર્ટીના લોકો આવશે તો સરકારના તમામ રૂપિયા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા પાછળ વપરાશે. હું અહીંના તમામ માછીમારોને પણ કહેવા માંગુ છું કે હું તમારા તમામ મુદ્દાઓ સમજી ગયો છું, માત્ર મને એક મોકો આપો, તમારા જે પણ મુદ્દાઓ છે.

સરકાર બન્યા પછી તે જલ્દી થી જલ્દી પૂરા કરવામાં આવશે. તમારા વિસ્તારમાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું, અમને એક મોકો આપો, 1 વર્ષમાં અમે કચ્છના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડીશું. આ મોકો છે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે, 27 વર્ષથી તમારી પાસે કોઇ વિકલ્પ નહોતો, આ વખતે તમને ઉપરવાળાએ મોકો આપ્યો છે.

આ પણ વાંચો: Puja special train: ભુજ-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ માટે પુજા વિશેષ ટ્રેન

કચ્છના લોકો પંજાબના લોકોની જેમ ક્રાંતિકારી છે: ભગવંત માન

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ કચ્છની જનતાને સંબોધતા કહ્યું કે, મેં કચ્છના લોકો વિશે સાંભળ્યું હતું કે અહીંના લોકો ક્રાંતિકારી છે અને કચ્છના લોકો જે નિર્ણય કરે છે તે નિર્ણયને આખું ગુજરાત અનુસરે છે. અત્યારે અહીંયા જય જવાન, જય કિસાન અને ઈન્કલાબ ઝિંદાબાદના એ જ નારા લગાવવામાં આવી રહ્યા છે જે પંજાબમાં લાગતા હતા અને આજે પણ લાગી રહ્યા છે. મતલબ કે આપણી સમસ્યાઓ પણ એક સરખી જ છે, એ જ મોંઘવારી, ગરીબી અને બેરોજગારી. ગઈકાલે જ શહીદ આઝમ ભગતસિંહનો જન્મદિવસ હતો.

ભગતસિંહને ક્યારેય ચિંતા નહોતી કે આપણા દેશને કેવી રીતે આઝાદી મળશે. આઝાદી પછી દેશ કોના હાથમાં જશે તેની તેમને ચિંતા હતી અને તેમની ચિંતા બિલકુલ યોગ્ય હતી. આજે દેશને આઝાદીના 75 વર્ષ થયા, પરંતુ જે આઝાદી સામાન્ય નાગરિક સુધી પહોંચવી જોઈતી હતી તે નથી પહોંચી, તે આઝાદી માત્ર આ મોટા નેતાઓના મહેલો અને તેમના લાલ બત્તીવાળા વાહનો સુધી જ સીમિત રહી છે. એ આઝાદીને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટેની જે લડાઈ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં લડી રહી છે તેના સંદર્ભમાં આજે અમે તમને મળવા આવ્યા છીએ.

આ લોકો મારાથી કે કેજરીવાલથી નહીં પરતું ગુજરાતની જનતાથી ડરે છે: ભગવંત માન

પરંતુ આ લોકો અમને ગુજરાતમાં આવવા દેતા નથી. અમે કોઈ હોટેલમાં રોકાઇએ છીએ તો હોટેલવાળાને કહી દે છે કે તેમને અહીં રહેવા ન દો. સભા જેવા કાર્યક્રમ માટે જો કોઈ હોલ બુક કરીએ છીએ, તો તેના માલિકને ડરાવે છે. હું કચ્છી લોકોનો આભાર માનું છું કે જ્યાં બજાર ભરાય છે તે જગ્યા આજે કાર્યક્રમ કરવા માટે આપી. આ લોકો અમારાથી નથી ડરતા, અમે ખૂબ નાના માણસો છીએ, અમારી કોઈ ઔકાત નથી, આ લોકો કેજરીવાલથી પણ નથી ડરતા, આ લોકો આટલી મોટી સંખ્યામાં આવેલા લોકોથી ડરે છે, તેઓ જનતાથી ડરે છે.

જો ભાજપના લોકોને આવી સભા કરવી હોય તો ઓછામાં ઓછા 10-15 કરોડ ખર્ચવા પડે. પહેલા લોકોને બસમાં લાવો, ખાવાનું ખવડાવો, પછી મોદી, મોદીના નારા લગાવો, આટલું બધું કામ એ લોકોને કરવું પડે છે. અમારે આટલું કામ કરવું નથી પડતું, અમે ફક્ત અરવિંદ કેજરીવાલનું નામ લઈએ છીએ અને લોકો આપોઆપ આવી જાય છે.

કારણ કે અમે શાળા, હોસ્પિટલ, વીજળી, રસ્તાની વાત કરીએ છીએ. અને આ લોકો જાતિ અને ધર્મની વાતો કરે છે. એટલા માટે આ લોકો દિલ્હીમાં બે વાર હારી ગયા. કારણ કે દિલ્હીના લોકોએ કહ્યું હતું કે, “કેજરીવાલજીની શાળા સારી છે, સારી સારવાર મળે છે, તેથી અમે કેજરીવાલ ને જ મત આપીશું.”

આજે કોંગ્રેસની હાલત એવી છે કે કોંગ્રેસ પક્ષના વડા બનવા માટે કોઈ તૈયાર નથી: ભગવંત માન

27 વર્ષ થઈ ગયા અને હું હેરાન છું. હું તમને કહેવા માંગુ છું કે આ વખતે સરકાર બદલો. હું જાણું છું કે પહેલા ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. આજે કોંગ્રેસની હાલત એવી છે કે કોંગ્રેસ પક્ષના વડા બનવા માટે કોઈ તૈયાર નથી. દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં બે વખત 0 સીટ પર આવી છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના ધારાસભ્ય પણ અરવિંદ કેજરીવાલ જ છે.

મોટા મોટા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ઘરોમાં કામ કરતા લોકો પણ ઝાડુને મત આપે છે. દેશને આઝાદ કરાવવા માટે 90 ટકા બલિદાન પંજાબીઓએ આપ્યા છે અને હું કચ્છના પંજાબી ભાઈઓને કહેવા માંગુ છું કે અમે તમારી સમસ્યાઓ જાણીએ છીએ અને અમે તમારી સાથે છીએ. લોકો ક્યારેય ભ્રષ્ટ હોતા નથી, પરંતુ નેતાઓ ભ્રષ્ટ હોય છે, તેઓ પૈસા ખાય છે. અને આ નેતાઓના વિદેશમાં ખાતા છે.

કોઈ બેંક લૂંટીને ભાગી ગયો, કોઈ 10000 કરોડ લઈને ભાગી ગયો, આટલી મોટી રકમમાં કેટલા શૂન્ય લાગે છે તેની તો અમને ખબર પણ નથી. હું ગઈ કાલે અને આગલા દિવસે જોઈ રહ્યો હતો કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી લાઈવ હતા. હદ છે તેમને પોતાના નામે એક સ્ટેડિયમ કરાવી નાંખ્યું છે. ‘હુકૂમત વહી કરતે હૈ જિનકા દિલો પે રાજ હોતા હૈ યૂં તો કહને કે લિએ મુર્ગે કે સર પર ભી તાજ હોતા હૈ.’

ન તો ગુજરાતના લોકોને 15 લાખ મળ્યા અને ન પંજાબના લોકોને, કારણ કે આ બધા જુમલા હતા: ભગવંત માન

પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના થયા છે. પંજાબમાં દર 2 મહિને વીજળીનું બિલ આવે છે. 1 જુલાઈથી, અમે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું શરૂ કર્યું, એટલે કે 2 મહિનાના બિલ પર 600 યુનિટ મફત વીજળી મળે છે. પંજાબમાં 74 લાખ વીજળી મીટર લગાવવામાં આવ્યા છે અને તેમાંથી 51 લાખ લોકોના બિલ ઝીરો આવ્યા છે. અત્યારે નવેમ્બર-ડિસેમ્બરના શિયાળા પછી જાન્યુઆરીમાં 69 લાખ લોકોના વીજ બિલ શૂન્ય થઈ જશે.

અમે કોઈ નોટ છાપવાનું મશીન બનાવ્યું નથી, આ પૈસા લોકો પાસેથી જ આવે છે, અમે માત્ર લીકેજ બંધ કર્યા છે અને ભ્રષ્ટાચાર બંધ કર્યો છે. આ લોકો પહેલાથી પૈસા ખાતા હતા, અમે તે બંધ કરી દીધું છે. પછી એ જ પૈસા અમે જનતાના કામોમાં વાપર્યા જેમ કે અમે શાળાઓ સારી કરી નાંખી, હોસ્પિટલો સારી બનાવી, વીજળી ફ્રી કરી નાંખી, વેપારીઓ માટે રેડ રાજ બંધ કરી નાંખ્યું, રસ્તાઓનું સમારકામ કર્યું.

પહેલા જે બ્રિજ 350 કરોડમાં બનતા હતા તે અરવિંદ કેજરીવાલએ 200 કરોડમાં બનાવ્યો, પછી જે પૈસા બચ્યા હતા તે દવાઓ મફત આપવામાં વાપર્યા. અને કેટલાક લોકો તેને ફ્રી ની રેવડી કહે છે. તો મારે મોદીને પૂછવું છે કે તો પછી 15 લાખના પાપડ કોણે વેચ્યા હતા? શું કોઈના ખાતામાં 15 લાખ આવ્યા? ન તો ગુજરાતના લોકોને 15 લાખ મળ્યા અને ન તો પંજાબના લોકોને, કારણ કે આ બધો જુમલો હતો.

અંગ્રેજોએ એકસાથે 200 વર્ષ ગુલામી આપી હતી પણ આ લોકો તમને 5 વર્ષના પાંચ હપ્તામાં ગુલામી આપી રહ્યા છે અને આ ગુલામીમાંથી તમને કોઈ બીજું નહીં તમે પોતે જ મુક્તિ મેળવી શકો છો: ભગવંત માન

આજે જુમલાઓના કારખાનામાં નવા જુમલા બની રહ્યા હશે કે શું જુમલા હતા જેનાથી લોકોની લાગણી દુભાય પરંતુ તેમના જુમલામાં આવશો નહીં. અત્યારે તો હું 15 લાખની વાત કરતો હતો, પણ 15 લાખની વાત છોડો કારણ કે આપણે જે આપણા ઘરમાં બચત કરીને પૈસા બચાવ્યા હતા તે પૈસા પણ નોટબંધી કરીને આ લોકોએ તમારી પાસેથી કઢાવી લીધા.

નોટબંધીને કારણે માતાઓ અને બહેનોને સૌથી વધુ નુકસાન થયું છે. કારણ કે તેઓએ ઈમરજન્સી માટે અલગથી પૈસા રાખ્યા હોય છે. અને રાતોરાત નોટબંધીને કારણે તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. નોટબંધીથી ન તો ભ્રષ્ટાચારનો અંત આવ્યો કે ન તો આતંકવાદનો અંત આવ્યો. નોટબંધી દરમિયાન કોઈ ઉદ્યોગપતિ કે કોઈ ધનિક લાઈનમાં ઊભેલા જોવા મળ્યા ન હતા.

આ પણ વાંચો: Puja special train: ભુજ-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ માટે પુજા વિશેષ ટ્રેન

નોટબંધીને કારણે તમારા જેવા સામાન્ય લોકો, રીક્ષાવાળાઓ, ઝૂંપડપટ્ટીના લોકો, ખેડૂતો લાઈનમાં ઉભા હતા. નોટબંધી દરમિયાન લાઇનમાં 150 લોકોના મોત થયા હતા. હું એક વાત કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના ઝાડૂથી અમે આખા દેશની ગંદકી સાફ કરીશું.

મારી એક વાત યાદ રાખજો કે જ્યારે તમે વોટ આપવા જાવ ત્યારે વોટિંગ મશીન પર તમને બટનો દેખાશે પણ યાદ રાખજો કે તે બટન ન તો પંજાનું છે, ન કમળના ફૂલનું, ન તો હાથીનું કે ન તો ઝાડૂનું કારણ કે તે બટન તમારા અને તમારા બાળકોનું ભવિષ્યનું બટન છે અને જો તમે સાચું બટન દબાવશો તો તમારા પરિવારનું ભવિષ્ય બનશે અને જો તમે ભૂતકાળની ભૂલો કરશો તો વધુ 5 વર્ષ આ લોકો રાજ કરશે. અંગ્રેજોએ 200 વર્ષની એક સાથે ગુલામી આપી હતી, પરંતુ આ લોકો પાંચ વર્ષના પાંચ હપ્તામાં તમને ગુલામી આપી રહ્યા છે અને આ ગુલામીમાંથી તમને કોઈ બીજું નહીં તમે પોતે જ મુક્તિ મેળવી શકો છો

ગાંધીધામમાં આયોજિત આ જંગી જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ ખજાનચી કૈલાસ દાન ગઢવી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Supreme Court Judge statement: સફળ મિડીયેટર બનવા માટે વકીલોમાં ધીરજ અને પક્ષકારોને શાંતિથી સાંભળવાના ગુણો હોવા જરૂરી: એમ.આર. શાહ

Gujarati banner 01