Ashramshala issues:વર્ષો જૂના પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાતની તમામ આશ્રમશાળાના કર્મચારીઓએ જિલ્લામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપ્યું
અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા
અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Ashramshala issues: આજરોજ તારીખ 15 9 2022 ને ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘની યોજના મુજબ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ આશ્રમશાળાના કર્મચારીઓના સાથે થતા અન્યાય તેમજ વર્ષો જુના પડતર પ્રશ્નો જેમ કે ગૃહમાતા ગૃહપતિ ની ભરતી, 4200 ગ્રેડ પે,સળંગ નોકરી, સાતમા પગાર પંચનો એરિયસ બિલ, જૂની પેન્શન યોજના,અરસપરસ બદલીનો લાભ, 24 કલાકમાંથી મુક્તિ જેવા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બનાસકાંઠા આશ્રમશાળા કર્મચારી સંઘ તરફથી કલેકટર આનંદ પટેલ સાહેબને બનાસકાંઠા જિલ્લાના આશ્રમશાળાના 12 કર્મચારીઓએ મળીને આવેદનપત્ર આપી તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ Oath of cleanliness: રાજકોટ ડિવિઝનના ડીઆરએમએ રેલવે કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા