Bhupendra Patel inaugurates development projects

Bhupendra Patel inaugurates development projects: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલામાં ર૯.પ૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા સંગ્રહાલય-પુસ્તકાલયનું ભૂમિપૂજન

Bhupendra Patel inaugurates development projects: સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ

ગાંધીનગર, 28 એપ્રિલઃ Bhupendra Patel inaugurates development projects: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય-પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરેન્દ્રનગર-ઝાલાવાડની એક દિવસીય મુલાકાત જિલ્લા માટે વિકાસ ઉત્સવ બની હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૯૧ આકાશવાણી રેડિયો એફ.એમ સ્ટેશનનો પ્રારંભ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો તે અન્વયે સુરેન્દ્રનગરને પણ આવા FM સ્ટેશનની ભેટ મળી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે સુરેન્દ્રનગરમાં આયોજિત સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત જિલ્લાની મુલાકાત દરમિયાન સવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે.

તેમણે સંગ્રહાલયની મુલાકાત લઈ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રદર્શિત કરાયેલા મેઘાણીના સાહિત્યસર્જનને રસપૂર્વક નિહાળ્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે રૂ.૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરાયું છે. આ સંગ્રહાલયમાં ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે.

આ ઉપરાંત, ચોટીલાના તાલુકા પુસ્તકાલયને, ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાચકો સંશોધકો પણ ઉપયોગ કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને વધુ વિકાસ ભેટ આપતા સુરેન્દ્રનગર શહેરમાં રૂ. ૬.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનના પરિસરની મુલાકાત લઈને મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

સુરેન્દ્રનગર શહેરમાં ૨૦,૦૮૩ ચો.મી. વિસ્તારમાં આકાર પામેલા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા આ બસ સ્ટેશનમાં કુલ ૧૪ પ્લેટફોર્મ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઇન્કવાયરી રૂમ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર ડેપોની ૧૪૦ અને અન્ય ડેપોની ૧૪૦ બસો મળીને કુલ ૨૮૦ બસોમાં દૈનિક ધોરણે અવર-જવર કરતા ૫૦૦૦ જેટલા મુસાફરો માટે પરિવહન હવે વધુ સુવિધાજનક બનશે.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા, બંદરો અને વાહન વ્યવહાર નિગમના અધિક મુખ્ય સચિવ એમ. કે.દાસ, વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ. એ. ગાંધી, વાહન વ્યવહાર નિગમના સચિવ રવિ નિર્મલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. રાયજાદા, આકાશવાણી રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રમેશ આહિરવાર, દૂરદર્શનનાં એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર આભાબેન શર્મા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, પોલિસ અધિક્ષક હરેશ દૂધાત, સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Operation Kaveri update: સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ વતન પહોંચાડતી રાજ્ય સરકાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો