BIG BREAKING: મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના હોદ્દેદારો સહીત ૨૯ જેટલા સક્રિય કાર્યકરોના રાજીનામાં
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવા ના રાજીનામાં થી ભાજપ ને તો આંચકો લાગ્યો છે પરંતુ નર્મદા જિલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ભાજપ કાર્યકરો માં નિરાશા વ્યાપી ગઈ છે મનસુખભાઇ જેવા લોકનેતા ના રાજીનામાં ને પગલે ભાજપ ના અસંખ્ય કાર્યકરો રાજીનામુ આપવા તૈયારી કરી રહ્યા છે અને આજે સાગબારા તાલુકા ભાજપ પ્રમુખ મોતિસિંહ વસાવ માજી જિલ્લા પંચાયત પ્રમુખ મંજીભાઈ વસાવા મહામંત્રી અમિત વસાવા દિનેશ વાળંદ સહિત ૨૯ જેટલા હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો એ મનસુખ વસાવા ના સમર્થન માં ભાજપ માંથી રાજીનામાં આપતા ભાજપ છાવણી માં સોપો પડી જવા પામ્યો છે
loading…