CM 222 days book

Book launch: સેવાયજ્ઞ- રરર દિવસ-રરર નિર્ણય પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયું

Book launch: મંત્રી પૂર્ણેશ મોદી હસ્તકના માર્ગ મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન-નાગરિક ઉડ્ડયન-યાત્રાધામ વિકાસ વિભાગો દ્વારા કરાયેલા જનહિતના નિર્ણયોને આવરી લેતું પુસ્તકઃ- ‘‘રરર દિવસ-રરર નિર્ણય

ગાંધીનગર, 04 મેઃ Book launch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદી હસ્તકના વિભાગો દ્વારા નાગરિકોને જનસુખાકારીના લાભ સત્વરે પૂરા પાડવા લેવાયેલા નિર્ણયો ના સંકલિત પુસ્તક ‘સેવાયજ્ઞ’ ‘‘રરર દિવસ-રરર નિર્ણયો’’નું રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રવાસન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જનહિતના જે નિર્ણયો કરવામાં આવેલા છે તે તમામ નિર્ણયોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે

મુખ્યમંત્રીના નેતૃત્વની રાજ્ય સરકારે રરર દિવસ પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આ રરર નિર્ણયોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરીને જન ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો આ પુસ્તક વિમોચન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Madras High Court Summons Dhanush: ધનુષ પર આક્ષેપ, કપલે પોતાનો દીકરો કહી દર મહિને 65 હજારનું વળતર માગ્યું- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Ban on pre-wedding photoshoots: રાજ્યના આ સમાજે પ્રીવેડિંગ ફોટોશુટ સહિત અનેક બાબતો પર મૂક્યો પ્રતિબંધ- વાંચો વિગત

Gujarati banner 01