C.R.Patil gave confidence to the people

C.R.Patil gave confidence to the people: ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરની છે: પાટીલ

C.R.Patil gave confidence to the people: ગુજરાતમાં વિવિઘ કામો જન હિતમાં કરવામાં આવ્યા છે તેના કારણે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તામાં છે.

ગાંધીનગર, 26 મેઃ C.R.Patil gave confidence to the people: સી. આર. પાટીલે પાદરા ખાતેના કાર્યક્રમની અંદર જણાવ્યું હતું કે ,ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરની છે. વધુમાં પાટીલ એ કહ્યું કે, તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને, વિઘવા બહેનોને સહાય કરવામાં આવે છે. કામદાર ભાઇ બહેનો માટે શ્રમજીવી કાર્ડ આપવાની યોજના બનાવામાં આવી છે જેથી તેમને સરકારની યોજનાનો લાભ મળે. આત્મનિર્ભર કે આરોગ્ય માટે મા કાર્ડ યોજનાનો લાભ અપાવવા પણ પુરતા પ્રયત્ન કરવામાં આવે છે.   

મા કાર્ડ મારફતે ગરીબ વ્યકિત તેમની સારવાર કરી શકે છે. ગુજરાત જ એક માત્ર રાજય એવું છે કે જેની અંદર આદિવાસી વિસ્તારમાં એક થી વધુ યોજનાનો લાભ એક જ વ્યકિતને મળ્યા હોય તેવા અનેક દાખલા છે. ભવિષ્યમાં પણ ભાજપના કાર્યકરો દરેક જરૂરિયાત મંદ વ્યકિતને સરકારની યોજનાના લાભો મળે તેવા પ્રયત્નો સતત કરતા રહેશે.   

આ પણ વાંચોઃ Apara Ekadashi: આજે અપરા એકાદશી, વ્રત રાખી ન શકાય તો વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ દિવ્યાંગ ભાઇ-બહેનો પોતે આત્મનિર્ભર બને તેઓ પોતાના જીવન નિર્વાહ માટે કોઇ સામે હાથ લંબાવવો ન પડે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે. ગુજરાતમાં વિવિઘ કામો જન હિતમાં કરવામાં આવ્યા છે તેના કારણે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તામાં છે. ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરની છે અને ભાજપના કાર્યકર તમારી સાથે છે તેનો વિશ્વાસ અપાવ્યો. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Benefits of mint syrup: ઉનાળામાં ફુદીનાનું શરબત પીવો, પેટના દુખાવા અને બળતરામાં મળશે રાહત

Gujarati banner 01