Donation of gold: સુરતના દેસાઇ પરિવારે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન આપ્યું!
Donation of gold: કોરોના ની મહામારી વચ્ચે પણ સોના ના દાન નો પ્રવાહ યથાવત
અંબાજી, 11 ફેબ્રુઆરીઃDonation of gold: લોકો કહે છે મોંઘવારી બહુ છે, કોરોનાની મહામારી બાદ લોકો પર આર્થિક સંકટ આવી પડ્યુ છે. પરંતુ ઇશ્વર પર લોકોની શ્રદ્ધા પણ અતૂટ છે. જગત જનની મા અંબાના ચરણોમાં કોરોના ની મહામારી વચ્ચે પણ સોના ના દાન નો પ્રવાહ યથાવત છે.
સુરતના દેસાઇ પરિવાર દ્વારા અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે. આ 100 ગ્રામ સોનાની લગડીની કિંમત રૂ. 5 લાખ 501 રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે થઇને દેસાઇ પરિવારે સોનાનું દાન આપ્યું છે. જે ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.