Dwarka Tulsi Vivah Mahotsav

Dwarka Tulsi Vivah Mahotsav: દ્વારકાધીશ જગત મંદિર ખાતે ઉજવવામાં આવી રહ્યો તુલસી વિવાહ મહોત્સવ…

Dwarka Tulsi Vivah Mahotsav: ભગવાન દ્વારકાધીશનો વરઘોડો સમગ્ર દ્વારકા નગરીમાં ફર્યા બાદ દ્વારકાધીશ મંદિર ખાતે તુલસી વિવાહ દર્શન યોજાયા

દ્વારકા, 24 નવેમ્બરઃ Dwarka Tulsi Vivah Mahotsav: આજરોજ દેવ ઉઠી એકાદશીના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશનો વરઘોડો સમગ્ર દ્વારકા નગરીમાં ફર્યા બાદ દ્વારકાધીશ મંદિર ખાતે તુલસી વિવાહ દર્શન યોજાયા હતા.

Dwarka Tulsi Vivah Mahotsav 1

આ મહોત્સવ ધામધૂમ પૂર્વક સમગ્ર દ્વારકા નગરીમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ આ દ્વારકાધીશ મંદિર ખાતે તુલસી વિવાહ ના ખાસ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે તુલસી વિવાહ 9:30 ના વાગ્યે શરૂ થયા હતા. આ ઉત્સવમાં ભકતોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે તુલસી વિવાહમાં ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન હોઈ ભક્તિભાવ સાથે દ્વારકાધીશ મંદિરમાં ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.

આ પણ વાંચો… Trains Affected News: એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને થશે અસર, જાણો સંપૂર્ણ ડિટેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો