Gandhi jayanti

Gandhi jayanti: જામનગરની વિવિધ સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવવામાં આવી

Gandhi jayanti: જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ તેમજ જામનગર જિલ્લા શહેર ભાજપ તેમજ અન્ય શૈક્ષિનિક સંસ્થાઓ દ્વારા બે ઓક્ટોબર ગાંધીજી પ્રસંગે શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી

જામનગર, 02 ઓક્ટોબરઃ Gandhi jayanti: આજે ગાંધીજયંતી પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગાંધીજીની પ્રતિમાને જામનગર ની અલગ અલગ સંસ્થા સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા સુતરની આંટી પહેરાવવામાં આવી હતી

જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ તેમજ જામનગર જિલ્લા શહેર ભાજપ તેમજ અન્ય શૈક્ષિનિક સંસ્થાઓ દ્વારા બે ઓક્ટોબર ગાંધીજી પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી, તેમજ આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સીવણ સંચા, સાયકલ, ટ્રાય્સીકલ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોર્પોરેટરો પક્ષના કાર્યકર્તાઓ તેમજ ગાંધી વિચારધારા ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad-Mumbai Central Express: આવતી કાલથી આ નંબરની ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે

આ પણ વાંચોઃ Plastic bottle thrown at CM Kejriwal at Garba event: કેજરીવાલ પર અજાણ્યા વ્યક્તિએ બોટલ ફેંકી, ખોડલધામમાં રાસોત્સવની મુલાકાત દરમિયાન બની આ ઘટના