53285654

ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી તેઓ કોમામાં હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

આજે વહેલી સવારે તેમણે કોરોના સામેની જંગ હારીને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી IAS ઓફિસરોમાં ભારે ગમગીની છવાઈ છે. ડો.મહાપાત્રા 1986 ની બેચનાં IAS ઓફિસર (gujarat cadre ias) હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. તેમણે અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત કેડરના  IAS(gujarat cadre ias) અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહાપાત્રાના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેમજ તેમના પરિવારને સ્વ. મહાપાત્રાના અવસાનથી આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ તારીખથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયના લોકો માટે walk in vaccination થશે શરૂ- વાંચો વિગતે માહિતી