rishikesh patel 2

Iskcon bridge accident: અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ મુલાકાત લીધી

Iskcon bridge accident: ગઇ કાલ રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરીઅમદાવાદ,

અમદાવાદ, 20 જુલાઈ: Iskcon bridge accidentગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ સંવેદના વ્યક્ત કરી છે. મંત્રી ઋષિકેશ પટેલ એ આ દિવંગતોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી.તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું.

rishikesh patel

માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.

આ પણ વાંચો:Big Accident In Ahmedabad: અમદાવાદમાં ભયાનક માર્ગ અકસ્માત; 09 લોકોના થયા મોત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો