જામનગરમાં નવા સ્મશાન બનાવવા મુદ્દે નગરયાત્રા બાદ તંત્રને આવેદનપત્ર પાઠવાયું.
કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહીર છેલ્લા સાત દિવસ થી સ્મશાન મુદ્દે કરી રહ્યા હતા નગર યાત્રા
યાત્રા પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર સાથે આપ્યું આવેદનપત્ર
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગર કોંગ્રેસ ના નગરસેવક શહેર માં ત્રીજું સ્મશાન બનાવવા મુદે સાત દિવસ ની નગરયાત્રા એ નીકળ્યા હતા જે આજે પૂર્ણ થતાં મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપી શહેર માં ત્રીજું સ્મશાન તાત્કાલિક બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી
જામનગર કોંગ્રેસ ના નગરસેવક જામનગર શેહર માં ત્રીજું સ્મશાન બનાવવા મુદે શહેર ની સાત દિવસ ની નગરયાત્રા એ નીકળ્યા હતા જે આજે સાતમા દિવસે લાલબંગલા ખાતે જામનગર મહાનગર પાલિકાએ નગરસેવક દેવશીભાઈ આહીર ની નગરયાત્રા આવી પહોંચતા વિરોધપક્ષ કોંગ્રેસ ના નેતા સહિત તમામ સભ્યો દ્વારા નગરયાત્રી દેવશીભાઈ આહીર નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું
તેમજ ત્યારબાદ નગરયત્રી દેવશીભાઈ આહીર અને વિપક્ષ ના તમામ સભ્યો એ જેએમસી ના ડેપ્યુટી કમિશ્નર એ કે વસતાણી ને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ કે જામનગર ની મોટી વસ્તી સામે બે સ્મશાન માં મૃતકો અને પરિવારજનો ને અગ્નિ સંસ્કાર માટે રાહ જોવી પડે છે માટે જનરલ બોર્ડ માં મંજૂર થયેલ ત્રીજું સ્મશાન વહેલીટકે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી