માનવામાં નહિ આવે પણ…., જામનગરની જેલના લોકરક્ષક ખુદ જેલમાં ધકેલાયા
જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦
જામનગરમાં એસીબીની ટીમ દ્વારા જેલની અંદર પાન મસાલા પહોંચાડવાની સુવિધા આપવા માટે રૂપિયા લાંચ લેવા અંગે જેલ સહાયક લોકરક્ષક પોલીસ તથા એક વચેટિયાની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લીધા હતા. જે રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલમાં મોકલી દેવાયા છે.
જામનગર એસીબીની ટીમ દ્વારા તાજેતરમાં જેલની અંદર પાન મસાલા સહિતની સુવિધા પૂરી પાડવા માટે રૂપિયા બે હજાર ની લાંચ માંગવા અંગેના પ્રકરણમાં જેલ સહાયક લોકરક્ષક પોલીસ સિધ્ધરાજસિંહ ગંભીર સિંહ જાડેજા અને જામનગરના એક વચેટિયા દુષ્યંતસિંહ જાડેજા ની અંબર સિનેમા સામેથી રૂપિયા બે હજારની લાંચ લેતા ધરપકડ કરી લીધી હતી.
જે બંનેને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી દોઢ દિવસના રિમાન્ડ પર લીધા હતા.જેની રિમાન્ડની મુદત પુરી થતા બન્નેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ:જગત રાવલ,જામનગર