Kailash Vijay Vargia visited ambaji: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય અંબાજીની મુલાકાતે પહોંચ્યા
Kailash Vijay Vargia visited ambaji: કૈલાશ વિજય વર્ગીય શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી માં અંબા ની પૂજા અર્ચના સહિત કપુર આરતી કરી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 મેઃ Kailash Vijay Vargia visited ambaji: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. કૈલાશ વિજય વર્ગીય શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી માં અંબા ની પૂજા અર્ચના સહિત કપુર આરતી કરી હતી.
જ્ય પુજારીએ કૈલાશ વિજય વર્ગીને માથે પાવડી મૂકી ચુંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. સાથે ભાજપા ના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા.
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય કર્ણાટકના પ્રભારી પણ છે તે અંબાજી ખાતે સ્વર્ગીય મુળાભાઈ નરભેરામ ગોકલાણી પરિવાર વારાહી દ્વારા આયોજિત કરાયેલી શ્રીમદ્ ભાગવત કથા જે કથાકાર કનકેશ્ર્વરી દેવીના વ્યાસપીઠ ચાલી રહી છે ત્યાં પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીનો ગરબો ગાઈ કથા શ્રવણ કરતા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને કનકેશ્વરીદેવીની આરતી પણ તેમને ઉતારી હતી.
આજે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અંબાજી પહોચ્યા ત્યા તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં 2024 વિધાનસભાની ચૂંટણી સાથે મધ્યપ્રદેશની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે આશીર્વાદ લેવા તેઓ અંબાજી પહોંચ્યા છે. એટલું જ નહીં મોદી સરકારે જે દેશમાં વિકાસ કર્યો છે તેની નોંધ દુનિયા લઈ રહી છે અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ નો લાભ પણ છેવાડા સુધી પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું એટલું જ નહીં 2024 ચૂંટણીમાં 2018 કરતા પણ વધુ સારા પરિણામો અને વધુ સીટો આવશે તેમ કૈલાશ વિજય વર્ગીય (ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહામંત્રી) એ હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો… Lokrakshak training: સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ