kashmiri bapu pass away: સુપ્રસિદ્ધ સંત કાશ્મીરીબાપુ દેવલોક પામ્યા, મોટી સંખ્યામાં સેવકગણ અંતિમ દર્શન માટે પહોંચ્યા
kashmiri bapu pass away: દત્ત અને દાતારની ભૂમિમાં એક વિરલ વ્યક્તિત્વ, સંત શિરોમણી એવા કાશ્મીરી બાપુની વિદાયથી સમગ્ર ગિરનાર ક્ષેત્રમાં શોક વ્યાપી ગયો છે
જૂનાગઢ, 06 ફેબ્રુઆરીઃ kashmiri bapu pass away: પોતાના આકરા તપ અને લોકસેવા માટે જાણીતા જૂનાગઢમાં કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે.તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જ્યાં આજે વહેલી સવારે કાશ્મીરી બાપુ સ્વર્ગવાસ થયા છે.બાપુના નિધનથી સાધુ-સંતો અને સેવકો શોકાતુર છે.
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.