mohan

RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી

Mohan Bhagwat

નવી દિલ્હી,10 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. મોહન ભાગવતને પણ કોરોના થઇ ગયો છે. મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે નાગપુર (Nagpur) ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આરએસએસએ (RSS) ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર મોહન ભાગવત (Mohan Bhagwat) ના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Whatsapp Join Banner Guj

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુસાર ડોક્ટર ભાગવત (Mohan Bhagwat) ને કોરોનાના સામાન્ય લક્ષણ છે. સંગઠનના અનુસાર ડોક્ટર ભાગવતને સામાન્ય તપાસ અને સાવધાનીના ભાગરૂપે નાગપુર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટ કરી સંઘ પ્રમુખ જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. 

ADVT Dental Titanium

અત્રે ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષોથી કોરોના વાયરસથી સંક્રમણના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. દરરોજ એક લાખથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધુ હાલત ખરાબ છે. આખા દેશ સામે આવી રહેલા નવા કેસમાં લગભગ અડધા કલાક સુધી મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. 

આ પણ વાંચો….

મહામારીની વચ્ચે સારા સમાચરઃ દુનિયાને એચઆઈવી (HIV)વેક્સિનની શોધમાં મળી સફળતા