NCP leaders activists joined Congress

NCP Leaders Joined Congress: ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા

NCP Leaders Joined Congress: પાટીદાર આગેવાન, એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને એપીએમસી ભાવનગરના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ઝાઝડીયા સહિત ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

  • ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ

અમદાવાદ, 25 નવેમ્બરઃ NCP Leaders Joined Congress: ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.

પાટીદાર આગેવાન, એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને એપીએમસી ભાવનગરના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ઝાઝડીયા, એનસીપીના ભાવનગર શહેરના પ્રમુખ ભરતભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ નરેશભાઈ તન્ના, શહેર યુવા પ્રમુખ આશુતોષભાઈ ચુડાસમા, ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રમુખ સુનિલભાઈ ચૌહાણ, કલ્યાણભાઈ, ચિત્રા-ફુલસર વોર્ડ પ્રમુખ હિંમતભાઈ, ખેડૂત આગેવાન દિનેશભાઈ, વાલજીભાઈ ભોજાણી, સરદારનગર દક્ષિણ વોર્ડ પ્રમુખ કમલેશભાઈ રોહિડા સહિતના મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકરો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ અને એઆઈસીસીના મંત્રી રામકૃષ્ણ ઓઝાજીના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા,

તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

આ પ્રસંગે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલભાઈ શાહ, હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Gujarat Yatri Bhavan in Ayodhya: અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો