પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ રાજ્ય સરકારને આપ્યુ અલ્ટીમેટમ, જો તુવેરદાળની વ્યવસ્થા નહી થાય તો…- વાંચો સંપૂર્ણ વિગત
ગાંધીનગર, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ સરકારને તુવેરદાળને લઇને અનેક વખત રજૂઆત કર્યા બાદ હવે ઇમેઇલ કરીને અલ્ટીમેટમ આપ્યું છે.
દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.
પ્રહલાદ મોદી(Prahlad modi)એ તુવેરદાળ બાબતમાં અલગ ચલણની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને તેમાં પણ દુકાનદારની જરુરિયાત મુજબનું ચલણ જનરેટ થાય એવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જુલાઇ 2021ના માસથી વિતરણ વ્યવસ્થાથી અળગા થવાની ફરજ પડશે.
નોંધનીય છે કે, પ્રહલાદભાઇ મોદી(Prahlad modi) ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડરના પ્રમુખ છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ છે.