Road accident in aravalli

Road accident in aravalli: અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત- પૂરપાટ ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડી નાખ્યા, 6ના મોત

Road accident in aravalli: અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે.

અંબાજી, 02 સપ્ટેમ્બરઃRoad accident in aravalli: અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે.

આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.

પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇજો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Arvind Kejriwal visits Dwarka: ’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશના કરશે દર્શન

આ પણ વાંચોઃ Railway crossing number 241 will remain closed: 04 થી 09 સપ્ટેમ્બરસુધી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241 બંધ રહેશે

Gujarati banner 01