CM bhupendra Patel speech

Good news for farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતમાં લીધો વધુ એક નિર્ણય, 111 ગામના ખેડૂતોને થશે લાભ

Good news for farmers: મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે.

ગાંધીનગર, 02 સપ્ટેમ્બર:Good news for farmers: રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. 

આ પણ વાંચોઃ Road accident in aravalli: અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત- પૂરપાટ ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડી નાખ્યા, 6ના મોત

ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ  નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી. 

આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. રાજ્ય સરકારે આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે

આ પણ વાંચોઃ Arvind Kejriwal visits Dwarka: ’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશના કરશે દર્શન

Gujarati banner 01