c45d9924255b4290b39f35783510ce3c 8

તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ(salt makers) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.

salt makers

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયા(salt makers)ઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000 ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે(MOU) લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કર્યો કરાર