660 16 edited

રાજ્યની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રના લોકોએ રાખ્યું સ્વચ્છિક લોકડાઉન (self lockdown), જાણો ક્યા ક્યા છે લોકડાઉન !

રાજકોટ, 12 એપ્રિલઃ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. રોજના કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ તંત્ર લોકડાઉનને લઇને ચૂપી સાંધી છે. સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યા 1100 ને પાર પહોંચી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1164 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 89 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટ બાદ જો ક્યાંય સૌથી વધુ સંક્રમણ હોય તો તે જામનગર અને મોરબી શહેર છે. એકલા રાજકોટ શહેરમાં 405 અને જિલ્લામાં 70 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મોરબી જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો હવે પરિસ્થિતિ સમજી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ ખુદ સ્વંયભૂ લોકડાઉન (self lockdown) તરફ વળ્યા છે. તેમનુ કહેવુ છે કે, સરકાર ભરે ન કરે, પણ અમે લોકડાઉન(self lockdown) લગાવીશું.

self lockdown

સૌરાષ્ટ્રમાં કોરોનાથી લોકો ભયભીત બની ગયા છે. ત્યારે સરકાર ભલે ન કરે, લોકો સ્વયંભૂ લોકડાઉન (self lockdown) તરફ વળ્યાં છે. સીદસર ઉમિયા ધામ, મૂળી માધવરાય મંદિર અને કચ્છમાં માતાનો મઢ બંધ કરી દેવામાં આવ્યો છે. વીંછીયામાં જાહેર સ્વૈચ્છિક બંધ(self lockdown) જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, વિસાવદરમાં આજથી 31 તારીખ સુધી બંધ પાળવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓ જેમ કે, સાવરકુંડલા, માણાવદર અને જસદણમાં આંશિક બંધ પાળવામાં આવી રહ્યો છે. ઘેલા સોમનાથ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે. આમ, સૌરાષ્ટ્રમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો અને નાના ગામ બંધ અથવા સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown) અપનાવી રહ્યાં છે. મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાંથી બે યાર્ડ એક સપ્તાહ સુધી બંધ રહેશે. મોરબી અને વાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા ૧૭ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંન્ને યાર્ડને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 

ADVT Dental Titanium

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જામનગર નજીક ફલા ગામમાં આજથી લોકડાઉન લાગુ કરાયું છે. કોરોના સંક્રમણ પગલે એક સપ્તાહનું લોકડાઉન(self lockdown) જાહેર કરાયું છે. ફલા ગામમાં દીવન જરૂરિયાત સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે. 

આ પણ વાંચો….

દીપિકા પાદૂકોણે(deepika padukone) કરી વેબસાઈટ લોન્ચ, જાણો શું છે ખાસ