શ્રી સોમનાથ મંદિર ને “બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત” નો એવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
શ્રી સોમનાથ મંદિર ને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત નોએવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
ગાંધીનગર, ૧૨ જાન્યુઆરી: તા. 11.1.2021 ના રોજ ટુરિઝમ એવોર્ડ-2020 નું આયોજન ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવેલ, જે કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી કે લહેરી સાહેબ વતી બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત નો એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આપવામાં આવેલ હતો, જેને ટ્રસ્ટ ના એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા સ્વીકારવામાં આવેલ હતો.આ પ્રસંગે ટુરિઝમ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી વાસણભાઇ આહીર સહિત મહાનુભાવોની ઉપસ્થિતી રહી હતી.