Student commits suicide: રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં M.Techમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનો આપઘાત,જાણો શું છે કારણ?
Student commits suicide: વિદ્યાર્થીએ વર્કલોડના લીધે અંતિમ પગલું લીધું હોવાનું કારણ સામે આવ્યું
રાજકોટ, 04 સપ્ટેમ્બરઃ Student commits suicide: રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં M.Techમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોરબંદરના પાર્થ પંડ્યા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. કુવાડવા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરતા વિદ્યાર્થીએ વર્કલોડના લીધે અંતિમ પગલું લીધું હોવાનું કારણ સામે આવ્યું છે.
જોકે આ ઘટના બનતાની સાથે જ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોસ્ટેલમાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી આપઘાતની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. જેમાં કોઇક વધુ દેવું થઇ જતા આત્મહત્યા કરે છે તો કોઇક વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કરે છે તો કોઇક સામાજીક કારણોસર અથવા ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવતું હોય છે.