Sujalam Suflam Yojana: વરસાદી પાણીના એક-એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ: જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલ

Sujalam Suflam Yojana: સુજલામ સુફલામ્ય જના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ હેઠળ ૪૮૩ તળાવો ઉંડા કરાયા

ગાંધીનગર, 09 ફેબ્રુઆરીઃ Sujalam Suflam Yojana: વરસાદી પાણીના એક-એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ ૨૦૨૨માં રૂ.૭૯૩.૧૩ લાખ અને વર્ષ ૨૦૨૩માં રૂ.૧૧૪૦.૪૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઉંડા કરવામાં આવે છે. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં ૨૭૪ પંચાયતોના ૪૦૨ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૫ પંચાયતોના ૮૧ તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૮૩ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે તેમ મંત્રી પટેલે પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો… Multi Tracking Project Approved: કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો