fb028a1c 1ad4 4f40 952e ab90ac213070

Thalatej to Vastral Metro: PM 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

Thalatej to Vastral Metro: અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Thalatej to Vastral Metro: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાન દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સવારે કર્યું હતું.


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એસ. એસ.રાઠોર,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ, શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ Guj Govt Accepted 5 Demands: રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓમાં 14માંથી 5 સ્વીકારી- વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ Diverted train due to platform repair work: પ્લેટફોર્મના રિપેરીંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતી અને મણિનગર સ્ટેશનેથી થશે

Gujarati banner 01